Wednesday, 23 December 2015

ડિસેમ્બરનો ધમધમાટ 2015

પ્રજ્ઞા વર્ગમાં ગેરહાજર રહેતા બાળકોના ઘરે એસ.એમ.સી.
અધ્યક્ષ મંજુલાબેન જાતે આવી વાલીઓ સાથે ચર્ચા કરી. 
બીટ નિરીક્ષક શ્રી એમ.સી. ચરપોટ સાહેબે શાળાની મુલાકાત લઇ બાળકોને સ્વચ્છ રહેવા તથા આધાર કાર્ડ કઢાવી  લેવા અનુરોધ કર્યો. 

નિવેદીતા  ફાઉન્ડેશન, આણંદ દ્વારા ' મિશન  શૂઝ ' અંતર્ગત મળનાર બુટનું  માપ પણ લેવાઈ ગયું. THANKS નીપાબેન તથા કમલભાઈ...
સુનિતાએ  માર્યો લાંબો કૂદકો...અભિનંદન
તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવી શિલ્ડ પ્રાપ્ત કર્યો..
નિવૃત આચાર્યશ્રી નવનીતભાઈ પંડ્યાએ પોતાનો જન્મદિવસ શાળાના
બાળકો સાથે ઉજવી બાળકોને ઉજાણી પણ કરાવી.
સરકારે કરી બાળકોના સ્વાસ્થ્યની ચિંતા...
શાળા આરોગ્ય તપાસણી  કાર્યક્રમ અંતર્ગત વધુ તકલીફવાળા બાળકોને જરૂરી દવાઓ આપવામાં આવી.
પ્રિ  ગુણોત્સવ અંતર્ગત 3 થી 8 નાં બાળકોનું 
વાચન -લેખન-ગણન દ્વારા શૈક્ષણિક મૂલ્યાંકન કરાયું 
પ્રજ્ઞા વર્ગના બાળકોના વાલીઓની મીટીંગમાં વાલીઓ સાથે
કરાઈ ચર્ચા અને પછી કરાયું ચિંતન