Tuesday, 30 June 2020

ગાંધી ટ્વેન્ટી ટ્વેન્ટી વેબીનાર


ગાંધી - ટ્વેન્ટી ટ્વેન્ટી

રાજ્ય કક્ષા વેબીનાર


ગાંધીજી જો અત્યારે ૨૦૨૦માં હોત તો મહામારીના કારણે ઉભી થયેલી સમસ્યાઓ સામે કેવી લડત આપી હોત તે વિશે આત્મમંથન હેતુ જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગરના ગાંધી અધ્યયન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિત તથા જિ. શિ. અને તા. ભવન, આણંદ તથા એકતાનગર પ્રા. શાળાના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો ‘ગાંધી ટ્વેંટી ટ્વેંટી’ વેબીનાર યોજાઈ ગયો.  જેમાં GCERTના નિયામકશ્રી ડૉ. ટી એસ જોષી, જિ. શિ. અને તા. ભવનના પ્રાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ દવે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી  જી.ડી.પટેલ, જિ. પ્રા. શિ. શ્રી નિવેદિતાબેન ચૌધરી, તથા અન્ય મહાનુભાવો જોડાયા હતા. બે દિવસના આ વેબીનાર માટે 360 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. ૩૫ થી વધુ રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. 


GCERTના નિયામકશ્રી ડૉ. ટી એસ જોષીએ ગાંધીજીની નઇ તાલીમની સાર્થકતા અને સિદ્ધાંતોની વાતો કરી સૌને બાપુના વિચારો સાથે જીવવા અનુરોધ કર્યો હતો. જિ. પ્રા. શિ. શ્રી નિવેદિતાબેન ચૌધરીએ બાપુના સત્યના પ્રયોગો સાથે પ્રકાશિત થવાની વાત કરી હતી. પ્રાચાર્યશ્રી ડૉ.હિતેશભાઈ દવેએ આજના સમયમાં બાપુના વિચારોની આવશ્યકતા અંગે અલગ-અલગ વિષયો સાથે સૌને માહિતગાર કર્યા હતા.



રાજ્યકક્ષાના વેબીનાર ‘ગાંધી ટ્વેંટી ટ્વેંટી’ ના મુખ્ય વક્તાઓ ડો. પંકજ જોષી, પ્રો-વોસ્ટ,ચારુસેટ યુનિ.ચાંગા, સી.ટી.ટુંડીયા પ્રાચાર્ય  સુરેન્દ્રનગર, ડો. વિશાલ ભાદાણી સણોસરા, ડો.નુસરત કાદરી બી.એડ કોલેજ મોગરી, ડો.પાર્થેશ પંડ્યા ItoWE ગાંધીનગર, શ્રી નિર્જરી મહેતા વડોદરા, ડો. અરુણભાઈ દવે લોકભારતી સણોસરા તથા કે. કે. કરકર પ્રાચાર્ય જૂનાગઢ સૌએ નિયત વિષય ઉપર પોતાના વિચારો રજૂ કરી સેવાઓ આપી હતી. સત્ર સંકલન ડાયટ લેકચરર સતિષભાઈ તિવારી, ધર્મેશભાઈ પટેલ, વિરાગભાઈ ગરાલા, ડો. પ્રતીક દલવાડી, રોબર્ટ પરમાર, ડો. ગૌરવ ઠકરાર, ડો. જાનકી ભટ્ટ તથા મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે કર્યું હતું.


 

એકતાનગર શાળાની બાળાઓ સાધના તળપદા અને ફીજાબાનુએ પ્રેઝન્ટેશનમાં સહકાર આપ્યો હતો. વેબીનારનું સમગ્ર સંચાલન એકતાનગર શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલ, હિતેનભાઈ સોલંકી, ડાયટ લેક્ચરર રામજીભાઈ વાલ્મીક, રાકેશભાઈ ખીરા, કિરણભાઈ સોલંકી તથા હર્ષ પંચાલે કર્યું હતું. 



સરદાર ગુર્જરી -- ૨૮/૬/૨૦૨૦ 




Friday, 5 June 2020

World Environment Day વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ - 2020

World Environment Day - 2020 

વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ


આજથી ૪૮ વર્ષ પહેલાં વર્ષ ૧૯૭૨થી સયુંકત રાષ્ટ્રસંઘ દ્વારા ૫મી જૂનને 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરાયું. પૃથ્વીના વાતાવરણને સ્વચ્છ, પ્રદૂષણમુક્ત બનાવવા તથા સંરક્ષણના હેતુથી દર વર્ષે વિશ્વમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. તથા ઢગલાબંધ ( હજારો એવું લખીને તો યોગ્ય ન લાગે...) વૃક્ષો રોપવામાં આવે છે. પણ માત્ર ઉજવણી કરી લેવાથી પૂરું થઈ જતું નથી. દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષોની આંકડાકીય માયાજાળમાં સંતોષ માનનારા આપણે સંવર્ધનમાં ધ્યાન આપીએ તે હવેના સમયની તાતી જરૂરિયાત છે. બાળકોમાં આ વિચારને દ્રઢ કરી ઘર, શાળા, સમાજ, દેશ અને વિશ્વ લીલોછમ બને તે માટે કરિબદ્ધ થઈ આગળ વધવાનો સમય ચાલી રહ્યો છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં માનવજાતની નહિવત અવરજવરને લીધે હવા, જળ, પૃથ્વી બધું જ પ્રદૂષિત થતું અટક્યું છે. કોઈ મહામારી વગર પણ શું આપને આવું ન કરી શકીએ ? 

વિચાર કરજો મિત્રો...!?! દરેક વ્યક્તિ નક્કી કરે અને તેનું પાલન કરે તો કદાચ આ શક્ય લાગે છે.

ચાલો, સૌ સંકલ્પ લઇએ કે,  

૧. બિન પરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ વધારીએ.
૨. વૃક્ષ વાવી -ઉછેરીને તેના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ બનીએ.
૩. હવા, જમીન, અવાજ અને પાણીનું પ્રદૂષણ અટકાવીએ.
૪. સૌ પર્યાવરણ સંદર્ભે સંવેદનશીલ બનીએ. 
૫. ભાવી પેઢીને સ્વચ્છ - પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરી ભેટ આપીએ.

----------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------


વિશ્વ આજે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે આપના પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવું એટલું જ આવશ્યક છે ત્યારે બાળકોએ વર્ષ દરમ્યાન પર્યાવરણ અંતર્ગત જે.સી.આઈ. મિલ્ક સીટી આણંદ, લાયન્સ ક્લબ - અમૂલ આણંદ અને એકતાનગર પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીને અનુલક્ષીને વૃક્ષ સંવર્ધન પ્રોજેક્ટ ને ખુલ્લો મુકીએ છીએ. 

 

આ અંતર્ગત ચાલુ વર્ષે જે બાળકોએ વૃક્ષ વાવીને તેનું જતન કર્યું છે તેમને જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદ દ્વારા સંસ્થા અને શાળાના લોગો ધરાવતા માસ્ક અને લાયન્સ ક્લબ, અમૂલ આણંદ દ્વારા ‘વૃક્ષ મિત્ર’ પ્રમાણપત્ર આગામી દિવસોમાં આપવામાં આવશે. 
 
વર્ષ દરમ્યાન આ પ્રોજેક્ટમાં ભાગ લેનાર બાળકોને પણ વર્ષાન્તે ઇનામો આપી બિરદાવવામાં આવશે. અમારા આ કાર્યમાં સહયોગી થનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરીએ છીએ.