Friday, 15 July 2022

બાળમેળો - 2022

 બાળમેળો - 2022

બાળકોને મનોરંજન સાથે જ્ઞાન મળે તથા જીવનમાં આવતા પ્રશ્નોને જાતે હલ કરી શકે તે હેતુથી જિ.શિ.અને તાલીમ ભવન, આણંદના માર્ગદર્શન હેઠળ એકતાનગર પ્રા. શાળામાં ધો. 1 થી 5 માં બાળમેળા અને ધો. 6 થી 8 માં લાઈફ સ્કિલ બાળમેળાનું આયોજન કરાયું હતું

  

જેમાં આણંદ જિ. પ્રા. શિક્ષણાધિકારીશ્રી નિવેદિતાબેન ચૌધરી તથા બોરસદ તાલુકાના ડાયટ, વલાસણના સિ.લે. ડોં. મીરાબેન જાદવે મુલાકાત લઇ બાળકો સાથે વાતચીત ધ્વારા પ્રોત્સાહિત કરી, શિક્ષકોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમની સાથે સી.આર.સી કો-ઑર્ડીનેટર અનિલભાઈ રાણાએ હાજરી આપી શાળામાં ચાલતા બાળમેળામાં થયેલી પ્રવૃત્તિઓને નિહાળી બાળકોને બિરદાવ્યા હતા.

  

શાળામાં ચાલતા બાળમેળાના દરેક સ્ટોલની મહાનુભાવોએ મુલાકાત લઇ બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. હાલ શાળામાં ચાલતા નિપુણ ભારત અંતર્ગત FLN ની કામગીરી વિશે મુ.શિ. અને શિક્ષકો સાથે ચર્ચા કરી જરૂરી સમજ પૂરી પાડી હતી. 

 

બે દિવસ દરમિયાન ધોરણ 1 થી 5 અને ધો. 6 અને 8 ના બાળકોએ બાળમેળામાં પ્રવૃત્તિઓ દ્વારા આનંદ વ્યક્ત કર્યો હતો. 

 

સમગ્ર બે દિવસ દરમ્યાન શિક્ષકોએ બાળકોની સાથે રહી બાળમેળાનો આનંદ માણ્યો હતો.

 

શાળાની મુલાકત લેનાર અધિકારીઓનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દિવસ દરમિયાન મિતેશભાઇ ઠાકોર (હાલ-મોગરી) ના હસ્તે ધોરણ 1 થી 8 ની ગૌરીવ્રતની તમામ દીકરીઓને આઈસક્રીમ આપવામાં આવી હતી. 

 

P & કંપનીના અર્પિતાબેન ઘેલાણીએ ધો. 6 થી 8 ની દીકરીઓને શારીરિક સ્વચ્છતા અંગે VDO ધ્વારા સમજ આપી પેડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 

  

ખાણીપીણીના સ્ટોલથી લઈ જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. બાળકોને વ્યસનોથી દૂર રહેવા 'કફન' ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી ભાનુપ્રસાદ પંચાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિવેદિતાબેન ચૌધરી તથા ડોં. મીરાબેન જાદવની મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો.