એક્તાનગર શાળામાં NEP અંતર્ગત 'દફતર વગરનો દિવસ' મનાવાયો.
બી.આર.સી. સી. નિકુંજભાઈ સોલંકીએ શાળા દ્વારા જાહેર થયેલ આ પ્રોજેક્ટ થકી બાળકોને વિશેષ જ્ઞાનનો પણ લાભ મળશે એમ જણાવી Beyond the Textbook ના આયામ થકી બાળકો ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો અને ગ્રામ્ય કારીગરોની મુલાકાતનો લાભ મળતાં વ્યવસાયિક વિષયો શીખવાની તક આપવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવી લીલીઝંડી આપી હતી. સી.આર.સી.સી. કો.ઑ. અનિલભાઈ રાણાએ આ પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની ખાતરી આપી હતી. 380 જેટલા બાળકોએ શિક્ષકોની સાથે રહી દિવસ દરમ્યાન ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, વ્યવસાયકારો અને ખેતરની મુલાકાત લઈ પોતાના પાઠ્યક્રમ સંબંધી માહિતી અંગે વિશેષ પ્રવૃત્તિઓ કરી શાળામાં પરત ફર્યા હતા.
શાળાના આ પ્રોજેક્ટમાં બાળકોને ઉત્સાહ વધારવા
એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઈ ઠાકોર, અરવિંદભાઈ તળપદા, સાલીમમીયા કાજી અને કેતનભાઈ પટેલે
(જે.કે.ફાર્મ) પણ નાસ્તા અને ચોકલેટની વ્યવસ્થા કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વલાસણના માર્ગદર્શન
હેઠળ વધુ આયોજન કરી આગળ વધવા સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.