Wednesday, 21 December 2022

દફ્તર વગરનો દિવસ ડિસે. 2022

 દફ્તર વગરનો દિવસ દરમ્યાન ATAL Lab.ગ્રામ પંચાયત અને ખેતરની મુલાકાત  

 

સી.આર.સી. નાપાની એક્તાનગર પ્રા. શાળામાં ડિસેમ્બર માસના NEP અંતર્ગત દફ્તર વગરના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.આર.સી.સી. બોરસદ નિકુંજભાઈ સોલંકી અને સી.આર.સી.સી. નાપાના અનિલભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા ધોરણવાર શિક્ષકો ધ્વારા કરાયેલા આયોજન મુજબ ધો. 1 થી 2 ના બાળકો વનભોજન માટે ફતેડી વિસ્તારમાં ગયા હતા. શિક્ષકોએ બાળકોને વનભોજનની સાથે સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવી તેની પૂર્વતૈયારી સાથે ગયા હતા. બાળકોએ ખેતરની લાકાત લઈ તમાકુ, મરચી, ફ્લાવર જેવા છોડનું નિરીક્ષણ કરી તેના ફાયદા – ગેરફાયદા સમજાવ્યા હતા. 

આ ઉપરાંત, બાળકોએ ખેતરમાથી ઉપલબ્ધ પાંદડાં, ફૂલો અને સળીઓની મદદથી પુષ્પગુચ્છ બનાવતાં શીખ્યા હતા. બાળકોને ગ્રુપમાં બેસાડી અંકોમાં રંગપૂરણી, રેતીયા અક્ષરો – અંકો પણ તૈયાર કરાવ્યા હતા. આ બાળકો માટે નાસ્તાની સુવિદ્યા એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઇ ઠાકોર અને ધો. 1 અને 2 ના શિક્ષકો ધ્વારા કરવામાં આવી હતી. બાળકોએ બાલ અભિનયગીત, વાર્તા અને અવનવી રમતો રમી આનદ સાથે જ્ઞાન પણ મેળવ્યું હતું.

ધો. 3 થી 5 ના બાળકોએ આજના દિવસે ગ્રામ પંચાયત અને ઐતિહાસિક ધરોહર – વણઝારી વાવની મુલાકાત કરવાની હોઈ પ્રાર્થના કાર્યક્રમ બાદ નાપા ગામમાં આવેલી પંચાયતની મુલાકાતે ગયા હતા. ગ્રામ પંચાયતના તલાટી તથા સરપંચની હાજરીમાં ગ્રામ પંચાયતમાં ચાલતા કામો અને તેમની ફરજો વિશે માહિતી આપી હતી. 

 

ત્યારબાદ ગામમાં આવેલી વણઝારી વાવ તથા ગાંધીજી જે સ્થળેથી ગામલોકોને સંબોધન કર્યું હતું તે સ્થળ વિશે માહિતગાર થયા હતા. બાળકોને ગ્રામ પંચાયત તરફથી ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બપોરબાદ આ બાળકોએ શાળામાં આવી અવનવી રમતો રમવાની સાથે સાથે કાર્ટૂન ફિલ્મ પણ નિહાળી હતી.

બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ તરફ આગળ વધે અને વિજ્ઞાન વિષય અંતર્ગત વિશેષ જ્ઞાન મેળવે તે હેતુથી ધો. 6 થી 8 ના બાળકોને મુસ્લિમ કેળવણી મંડળ, નાપા સંચાલિત આદર્શ શાળામાં આવેલી ATAL Lab. ની મુલાકાતે ગયા હતા. 

બાળકોને શાળાના વિજ્ઞાન શિક્ષકો ધ્વારા ઊંચાઈ માપન, રોબોટિક્સ, આર્ટીફિસિયલ ઇંટેલિજન્સ જેવા વિવિધ સાધનોનું નિદર્શન કરાવી સમજણ આપવામાં આવી હતી. બપોરબાદ શાળામાં પરત ફરી બાળકોને મંગળયાન પર બનેલ ફિલ્મ ‘મિશન મંગલ’ બતાવવામાં આવી હતી. બાળકોએ શિક્ષકો સાથે જરૂરી વાર્તાલાપ કરી વિશેષ માહિત પ્રાપ્ત કરી હતી.

સાચે જ, આખો દિવસ કેવી રીતે પસાર થયો હતો. મહિનામાં એક દિવસ દફ્તર વિના પણ અભ્યાસ થઈ શકે છે તે બાળકોએ અનુભવ્યું હતું. શિક્ષકોએ ઉત્સાહપૂર્વક બાળકોની સાથે રહી માર્ગદર્શકની ભૂમિકા નિભાવી હતી.