વિશ્વ ચકલી દિવસ - 20 માર્ચ 2019
‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે 20 માર્ચના રોજ એકતાનગર પ્રાથમિક શાળાને Ray of Light ફાઉન્ડેશન દ્વારા 40 થી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું.
ઘર આંગણાના પંખી ચકલીને બચાવવા તથા ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ
લાવવાના બચાવવાના હેતુથી Ray of Light ફાઉન્ડેશન, વિદ્યાનગર
દ્વારા રોટરી ક્લબ આણંદના સહયોગથી ‘ચકલી બચાઓ’ અભિયાન અંતર્ગત ચકલીના માળાનું
વિતરણ કરવામાં આવ્યું. શાળાની આજુબાજુના વિસ્તારમાં ચકલીઓ બચે તેવા પ્રયાસો કરવા ફાઉન્ડેશનના
પ્રમુખ પુલકિત ભટ્ટે અનુરોધ કર્યો હતો.
શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા હિતેનભાઈ સોલંકીએ હાજરી રહી ચકલીના માળા સ્વીકારી ‘ચકલી બચાઓ’ અભિયાન અંતર્ગત શાળા વતી બાળકોમાં જાગૃતિ લાવવા ખાતરી આપી હતી.
શાળા વતી Ray of Light સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
નયા પડકાર અને સરદાર ગુર્જરી વર્તમાનપત્ર એ પણ અમારા કામની નોંધ લીધી.
આભાર : નયા પડકાર અને સરદાર ગુર્જરી
સાથે સાથે હોળી- ધુળેટીના તહેવારની શુભકામનાઓ