શાળા સ્વચ્છતા એવોર્ડથી સન્માનિત એક્તાનગર પ્રા.શાળા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના અવસરે
જીસીઈઆરટી, ગાંધીનગરની પ્રેરણાથી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ – આણંદ દ્વારા
શાળા સ્વછતા એવોર્ડ અંતર્ગત શિલ્ડ, પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા. જેના ભાગરૂપે બોરસદ તાલુકાની પસંદગીની ત્રણ શાળાઓ પૈકીએકતાનગર પ્રા.શાળા(નાપા) નું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલના હસ્તે એકતાનગર પ્રા.શાળા(નાપા)ના પ્રતિનિધિ તરીકે હાજર રહેલ શિક્ષક કનુભાઈ રબારીનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ – આણંદ દ્વારા
ઇકોક્લબ અંતર્ગત એક્સપોઝર વિઝીટ આયોજન કરાયું હતું. નેચર ક્લબ, વિદ્યાનગરના ધવલભાઈએ માહિતી આપી હતી.
એસ.એમ.સી. તથા શાળા પરિવાર તરફથી
આ એવોર્ડ શાળાના બાળકોને અર્પણ કરવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment