Monday, 19 October 2020

ઓક્ટોબરનો આનંદ - 2020

ઓક્ટોબરનો આનંદ - 2020

 

બાળકોને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી સ્વ. બાબુભાઇ પટેલ, નાપાના સ્મર્ણાર્થે પિયુષભાઈ પટેલના જન્મદિવસે એકતાનગર પ્રા. શાળા (નાપા)ને 300 લિટરના વોટર કુલરનું દાન આપવામાં આવ્યું. 

 

આ પ્રસંગે દાતાશ્રી પિયુષભાઈ પટેલ, તા.પં.સદસ્ય ઈરફાનમીયા કાજી, ઠાકોર સમાજના અગ્રણી હરમાનજીભાઈ ઠાકોર, ભરતભાઇ પટેલ, ભાવિનભાઇ, શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા શિક્ષકોએ માસ્ક સહીત સામાજિક અંતર જાળવી હાજરી આપી હતી.


આ પ્રસંગે મહેમાનોના હસ્તે પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવાના હેતુથી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી પિયુષભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કરી શાળાના પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત થતી નવીન પ્રવૃત્તિઓને બિરદાવી હતી. 

શાળાને વોટર કુલરનું દાન આપનાર પિયુષભાઈનું પુષ્પગુચ્છ વડે સન્માન કરાયું હતું. મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે પ્રાસંગિક ઉદબોધનમાં શાળા સાથે જોડાઈને પ્રવૃત્તિઓમાં સહયોગી થવા બદલ એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 


Friday, 2 October 2020

ગાંધી જયંતિ ઉજવણી - ૨૦૨૦ CRC Napa Kanya

 Gandhi Jayanti 2020


ગાંધી જયંતિ ઉજવણી - ૨૦૨૦   CRC Napa Kanya


એક બાળક દીવો લઈને જતો હતો. કંઈક શીખવવાના સંકલ્પ સાથે એક ઝેન સાધુએ તેને રોકીને પૂછ્યું કે, તને ખબર છે કે આ દીવામાં જ્યોતિ ક્યાંથી આવે છે?છોકરાએ સાધુ સામે જોઇને હળવેથી ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો અને કહ્યું કે, ‘જ્યાં આ જ્યોતિ જતી રહી, ત્યાંથી જ તે આવે છે !’ બાળકના આત્મવિશ્વાસ યુક્ત જવાબથી ઝેન સાધુ વિચારતા જ રહી ગયા હશે કે, મારે તેને શીખવવાનું હતું કે મારે શીખવાનું હતું ? મિત્રો, ગાંધી બાપુ કહેતા કે, સત્ય હંમેશા આત્મવિશ્વાસના પાયામાં રહેલું છે.

સત્યની સ્પર્ધા ન હોય ને સત્ય સ્પર્ધામાં પણ ન હોય. નિતાંત અને નિશ્ચલ સત્ય સ્પર્ધક હોઈ જ ન શકે. બાપુએ જ કહ્યું છે કે, સત્યાગ્રહની ખૂબી એ છે કે, તે આપણી પાસે આવી પડે છે તેને શોધવા જવું પડતું નથી. સત્ય એ ગાંધીજીને જીવન જીવવાનું ઉત્તમ બળ પૂરું પાડ્યું તેમ આપણને ય બળ આપે જ છે.

કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘સત્ય અને અસત્યની ટક્કર માટીના ઘડાની અથડામણ જેવી છે. પથ્થર ઘડા પર પડે તો પણ ઘડો જ ફૂટે છે.’ સ્વતંત્ર અને ચિરસ્થાયી સત્ય એટલે જ પરમેશ્વર. સાચું બોલવાથી સામે વાળી વ્યક્તિનું હિત ન થતું હોય તો એ સત્ય પણ શું કામનું ? તેથી સત્યને જાણવું ને માણવું પડે. બાઈબલ માં કહેવાયું છે કે, ‘તું સત્ય જાણશે અને સત્ય તને છોડાવશે.’ 

સત્યની શોધમાં શ્રદ્ધા રાખીએ. ચાલો, મનોજ ખંડેરિયાના શબ્દોથી વાતને આટોપીએ. “ બધાનો હોઈ શકે સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી.” ૧૫૦ મી જન્જયંતી નિમિત્તે સત્યરૂપી પરમેશ્વરના પુજારી એવા ગાંધી બાપુને વંદન...