“દફ્તર વિનાના દિવસ”નું આયોજન, શૈક્ષણિક પ્રવાસ સાથે
બાળકોમાં જિજ્ઞાસાવૃતિ વધે તથા આપણી ઐતિહાસિક ધરોહર વિશે માહિતી મેળવે તેવા હેતુ સાથે શાળામાંથી ધોરણ 6 થી 8ના બાળકો માટે અમદાવાદ અને ગાંધીનગર ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળામાં તથા પ્રવાસમાં આવનાર બાળકો દિવસ દરમ્યાન જ્ઞાન અને મનોરંજન સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાય તે હેતુથી “દફતર વિનાના દિવસ”નું પણ આયોજન કરાયું હતું. તે અંતર્ગત બાળકોએ બસમાં ગીતોના ગણ સાથે આનંદ પણ મેળવ્યો. મહેમદાવાદ ખાતે ગણપતિ મંદિરના દર્શન કરી પ્રવાસની મજા માણી હતી.
અંદવાદ્ની સાબરમતી નદી પર બાંધવામાં આવેલ અટલ બ્રિજની મુલાકાત લઈ યતેના બાંધકામ અંગેની વિશેષ જાણકારી મેળવી હતી. આ જ સ્થળે મુંબઈના વકીલ એવા કિરણ મહેતાએ બાળકો સાથે વાતચીત કરી આનંદ કરાવ્યો હતો. આ ઉપરાંત, ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લઈ તે વિશે માહિતગાર થયા હતા.
શાળામાંથી આયોજન કરવામાં આવેલ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સાયન્સ સિટીમાં વિજ્ઞાનને લગતા અવનવા પ્રયોગો, ભૂકંપ, 4D થિયેટરનો અનુભવ, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન વિષયક અવનવી પ્રવૃત્તિઓ જાણી બાળકોએ અનુભવી પણ હતી.
ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પાર્કમાં બાળકોએ ડાયનોસોર જેવી લુપ્ત થતી જાતિઓ તથા પ્રાણી સંગ્રહાલયમાંના સિંહ, દીપડો, હરણ અને અજગર જેવા પ્રાણીઓ નિહાળી તેમના વિશેષ જાણકારી મેળવી હતી.
પ્રવાસ દરમ્યાન બાળકોએ સાથે મળી કેન્ડીની મજા માણી હતી તથા બગીચામાં રહેલા હીંચકા, લપસણી જેવા રમતના સાધનો સાથે આનંદ મેળવ્યો હતો.
સમગ્ર દિવસ દરમિયાન શાળામાં હાજર બાળકોએ ધોરણ મુજબ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી “દફતર વિનાના દિવસ”ની ઉજવણી કરી હતી. જેમાં ધોરણવાર બાળકોએ શિક્ષકની સાથે રહી વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી નિભાવી હતી. મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા જેરુષાબેન જાદવ દ્વારા સમગ્ર આયોજન મુજબ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં શાળા પરિવારનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.
No comments:
Post a Comment