અનોખી ઉજવણી
ભારતના પૂર્વ
વડાપ્રધાન ચરણસિંહ ચૌધરીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2001થી દર વર્ષે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત
એકતાનગર પ્રાથમિક શાળામાં કિસાન દિવસ અને ગણિતજ્ઞ રામાનુજનની જન્મજયંતીની ઉજવણી
કરવામાં આવી.
સર્વધર્મ પ્રાર્થના બાદ શિક્ષક કિરણભાઈ સોલંકીએ સૌને આવકારી ગણિતજ્ઞ રામાનુજનના જન્મજયંતી સંદર્ભે કાર્યોની ઝાંખી કરાવી હતી.
શ્રી સુરેશભાઈ પરમારે ભારત કૃષિપ્રધાન દેશ છે
ભારતનો ખેડૂત ટાઢ, તડકો કે ગરમીની પરવા કર્યા વગર ખેતી
સાથે જોડાઈ સમાજનો અન્નદાતા બનેલો છે ત્યારે કિસાનનું સમાજમાં મહત્વ અને સરકાર
દ્વારા મળતાં લાભોની વાત રજૂ કરી હતી.
આધુનિક કૃષિક્ષેત્રે ૫૦ થી પણ વધુ એવોર્ડ
પ્રાપ્ત કરનાર પ્રગતિશીલ ખેડૂત કેતનભાઈ પટેલે બાળકોને ઓર્ગેનિક ખેતી દ્વારા સ્વમાની અને સ્વનિર્ભર બની રહે તેની કાર્યોની માહિતી
આપી હતી. શાળામાં ઔષધબાગ અને કિચન ગાર્ડનની જાળવણી માટે ભાર મૂક્યો હતો.
શાળામાં પર્યાવરણ પ્રયોગશાળાને ધ્યાનમાં
રાખી કિસાન ગાર્ડન અંતર્ગત કાશ્મીરી ગુલાબના છોડનું વાવેતરનું આયોજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ધોરણ ૬ થી ૮ ના
બાળકોએ શિક્ષકોની સાથે રહી જે. કે. ફાર્મની મુલાકાત લઇ આધુનિક ખેતી, તેમાં વપરાતા આધુનિક ઓજારો તથા કૃષિક્ષેત્રે થતા અવનવા પ્રયોગોની રૂબરૂ સ્થળ
પર જ માહિતી મેળવી હતી. તથા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી.
નયા પડકાર સરદાર ગુર્જરી
https://youtu.be/JlxHEwEna6g
આ Link પર Click કરતા જ મળશે સમગ્ર કાર્યક્રમની માહિતી.
મીડિયાએ પણ અમારા કામની નોંધ લીધી.