73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
તથા વાલી સંમેલન - 2019
દેશભક્તોની શહાદત થકી મળેલી સ્વતંત્રતાને યાદ કરી
એકતાનગર પ્રા. શાળામાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન, વાલી
સંમેલન તથા દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો.
નિવૃત્ત શિક્ષક હિરાભાઈ રોહિત તથા હાજર મહેમાનોના હસ્તે
ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વાલીઓને શાળામાં બાળકોની નિયમિતતા,
ગણવેશ, સ્વચ્છતા, કન્યાશિક્ષણ, જળસંચય, વૃક્ષારોપણ, ગ્રીનસ્કુલ અને જ્ઞાનકુંજ જેવા
મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
શાળાને દાન આપનાર દાતાઓ સિદ્દીકમીયાં તથા આશિકમીયાં કાજીનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
હાજર મહેમાનોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં
આવ્યું હતું. સમગ્ર કાર્યક્રનું સંચાલન કિંજલ સોનારા તથા કિરણભાઈ સોલંકીએ કર્યું.
..............................................................
સાભાર : લોગો
એકવીબોટ્સ ટેકનો.પ્રા.લિમિટેડ, આણંદ