Monday, 14 January 2019

પતંગોત્સવ તથા કરૂણા અભિયાન કાર્યક્રમ


નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા એકતાનગર પ્રા.શાળામાં પતંગોત્સવ  
તથા કરૂણા અભિયાન કાર્યક્રમ

          નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નીપાબેન પટેલ, આર્કિટેક

 વિક્રમભાઈ,એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન ઠાકોર, ગ્રામ અગ્રણી

 પિયૂષભાઈ પટેલ, નિલેશભાઈ શાહ,( યુ.એસ.એ.),કરૂણા અભિયાન

 કાર્યક્રમના  કૉ. ઓ. ધવલભાઈ પટેલ, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ,

 શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.



          નિવેદિતા ફાઉન્ડેશનના સહયોગથી નીપાબેન પટેલ તથા 

વિક્રમભાઈના હસ્તે બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં 

આવ્યું હતું. નીપાબેન પટેલે બાળકોને સાવચેતીથી પતંગ ઉડાડવા

તથા પક્ષી બચાઓ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

પિયૂષભાઈ પટેલે શાળા દ્વારા યોજાયેલ પતંગોત્સવમાં હાજરી આપી

ચાઇના દોરી ન વાપરવા તથા કોઈ પક્ષી ઘાયલ થયેલું જણાય તો

હેલ્પલાઈન ૧૯૬૨ નંબર પર ફોન કરવા પણ જણાવ્યું હતું.


       શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે સૌને આવકારી બાળકોને 

પતંગ અને દોરી પૂરી પાડી પતંગોત્સવમાં સહભાગી થવા બદલ

નિવેદિતા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. 

...................................................................................................................................................................
કરૂણા અભિયાન-૨૦૧૯
(૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૧૯)
.......................................................................................................................................................
આવો, સૌ સાથે મળી મકરસંક્રાંતિના પર્વે આકાશના રંગોત્સવની સાથે દોરી અને માંજાથી ઘવાતા પક્ષીઓની દરકાર કરીએ.
Ø     ચાલો આટલું કરીએ :
૧. કોઈ ઘવાયેલું પક્ષી જોવા મળે તો તરત જ ફોનથી જીવદયા સંસ્થાને જાણ કરીએ.    
૨. ઉત્તરાયણ પછી તમારી આસપાસની પતંગની નકામી દોરીઓ ભેગી કરી તેનો નાશ કરો.
Ø     ચાલો આટલું ન કરીએ :
૧. સવારે ૯.૦૦ વાગ્યા પહેલાં અને સાંજે ૫.૦૦ વાગ્યા પછી પતંગ ઉડાડીશું નહી.
૨. કાચના માંજાવાળી કે પ્લાસ્ટિક દોરીનો ઉપયોગ કરીશું નહી.
.....................................................................................................................................................................................................................................................................................................................................................................
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ૧૦૮ ની જેમ
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સુવિધા, હેલ્પલાઈન નં. ૧૯૬૨
............................................................................................................................................................................................................................................................................................................................................................................
 :: સૌજન્ય ::
એકતાનગર પ્રાથમિક શાળા, તા : બોરસદ, જિ : આણંદ
......................................................................................................................................................................................


શાળા દ્વારા કરુણા અભિયાનમાં સામેલ થઈ બાળકોને માર્ગદર્શન મળશે તે હેતુથી હાજર મહાનુભાવોના હસ્તે શાળા દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત  માહિતી પત્રિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.


No comments:

Post a Comment