Thursday, 31 December 2020

માસ્ક અને શ્રીમદ ભગવદગીતાનું વિતરણ

 માસ્ક અને શ્રીમદ ભગવદગીતાનું વિતરણ

હાલ ચાલી રહેલી કોરોના મહામારીથી બચવા 'માસ્ક એ જ વેક્સિન છે' ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તથા વાયરસજન્ય રોગોથી બચી શકાય તે હેતુથી એકતાનગર દૂધ મંડળીના સહયોગથી માસ્ક વિતરણ તથા ધો. 5 થી 8 ના બાળકોને સાંસ્કૃતિક વિચારો મળી રહે તે હેતુથી ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલના સહયોગથી શ્રીમદ ભગવદગીતાનું વિતરણ કરવામાં આવ્યું. 


એકતાનગર દૂધડેરીના ચેરમેન હરમાનજીભાઈ ઠાકોર, ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલ તથા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ હિતેનભાઈ સોલંકી તથા શાળા સ્ટાફે હાજરી આપી હતી. Covid -19 ની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી દૂધ મંડળી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની માહિતી શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે આપી હતી. 


ધોરણ 1 થી 8 ના બાળકોને દાતાઓના હસ્તે માસ્ક તથા ધો. 5 થી 8 ના બાળકોને શ્રીમદ ભગવદગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 


શાળાના શિક્ષકોને પણ માસ્ક અને ગીતાજી ભેટ આપવામાં આવ્યા હતા. એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી ભાનુપ્રસાદ પંચાલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


દાતાશ્રી ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલે હાજર સૌને કોરોના જેવા રોગોથી બચવા અવશ્ય માસ્ક પહેરવા અનુરોધ કરી મનને સ્વસ્થ રાખવા માટે શ્રીમદ ભગવદગીતાના વિચારોની આવશ્યકતા સમજાવી સર્વશાસ્ત્રમમયી ગીતાના વિચારોને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા આ વિચારો જોઈશે તેમ પણ જણાવ્યુ હતું. 

  

નયા પડકાર અને સરદાર ગુર્જરી આ બંને વર્તમાનપત્રો અમારી શાળાના કાર્યની નોધ લઈ શાળાના વિવિધ કાર્યોની સુગંધ બધા વાચકો સુધી પહોચાડવા બદલ આભાર બંને વર્તમાનપત્રોના સંચાલકોનો... 



No comments:

Post a Comment